Posts

સફળતાનો શંખનાદ: કાકડવેરીમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનારનો સફળ સંકલ્પ

Image
  સફળતાનો શંખનાદ: કાકડવેરીમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનારનો સફળ સંકલ્પ કાકડવેરી: Kakadveri Freely Group અને Sakar Vachan Kutir, Kakadveri દ્વારા તા. 16 ફેબ્રુઆરી 2025 ના રોજ મહિલા સંચાલિત દૂધ ઉત્પાદક મંડળી, કાકડવેરી, તા. ખેરગામ, જિ. નવસારી ખાતે ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે સફળતા અને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો. આ સેમિનારમાં પ્રખ્યાત સ્પીકર ડૉ. શિશિર ટંડેલ દ્વારા પ્રેરણાત્મક અને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમણે વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને વ્યાવસાયિક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે જરૂરી દિશા, મંત્રો અને પ્રેક્ટિકલ ટીપ્સ આપ્યા. ડૉ. શિશિર ટંડેલના માર્ગદર્શન સેમિનાર અગાઉ પણ અનેક યુવાનો માટે મોખરાં સાબિત થયા છે, અને આ કાર્યક્રમ પણ આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે એક નવી આશાનું કિરણ બની રહેશે. વિદ્યાર્થીઓ માટે અનોખો અવસર વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, અને આ સેમિનારમાં તેમને કેવળ પરિક્ષા માટે જ નહીં, પણ જીવનની મોટી સફળતાઓ માટે કઈ દિશામાં પ્રયત્ન કરવા તે અંગે પણ સમજ અપાઈ. ડૉ. શિશિર ટંડેલ ના પ્રેરણાત્મક શબ્દોમાંથી વિદ્યાર્થીઓને તેમન...

તોરણવેરા પ્રાથમિક શાળામાં યોજાયેલ વાલી સંમેલન: એક શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રેરણા

Image
  તોરણવેરા પ્રાથમિક શાળામાં યોજાયેલ વાલી સંમેલન: એક શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રેરણા તોરણવેરા પ્રાથમિક શાળાએ ૨૬મી જાન્યુઆરીની રાત્રે વાલી સંમેલનનું આયોજન કરીને શિક્ષણ અને સાંસ્કૃતિક એકતાનું પ્રેરણાદાયી ઉદાહરણ સ્થાપિત કર્યું. આ સંમેલનના ઉદ્ઘાટનનો શ્રેય ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ અને ડાંગ જિલ્લાના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલને જાય છે, જેમણે તેમની પ્રેરક ભાષણોથી શ્રોતાઓને પ્રભાવિત કર્યા. સંમેલનના મહત્વપૂર્ણ મોરચા: નરેશભાઈ પટેલે  પ્રેરક પ્રવચન દ્વારા શ્રોતાઓને પ્રભાવિત કર્યા હતા. નરેશભાઇ પટેલે ખાનગી શાળાઓ અને સરકારી શાળાઓ વચ્ચેના તફાવતને સ્પષ્ટ કરીને સમગ્ર શિક્ષણ પદ્ધતિની સમજણ આપી. તેમણે તેમના વિદ્યાર્થી જીવનના અનુભવો શેર કર્યા અને કન્યા કેળવણી પર ખાસ ભાર મુક્યો. સાથે જ તેમણે બાળકોને શૈક્ષણિક શિક્ષણ સાથે સંસ્કાર અપાવવા પર મહત્વ આપ્યું અને  દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કન્યા કેળવણીના પ્રયાસો ને શ્રોતાઓ સમક્ષ રજૂ કર્યા. પછી  ડાંગ જિલ્લાના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે , સ્થાનિક બોલીમાં સુંદર પ્રવચન આપીને શ્રોતાઓનું દિલ જીતી લીધું. ત...

ભાઈચારાનો મેદાન પર વિજય: તોરણવેરા ક્રિકેટ ટુર્નામેન્ટ

Image
 ભાઈચારાનો મેદાન પર વિજય: તોરણવેરા ક્રિકેટ ટુર્નામેન્ટ તોરણવેરા ગામમાં એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુસર ગ્રામ પંચાયત અને યુવા મિત્રો દ્વારા વિલેજ કપ 2025 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. ગામના સરપંચ શ્રી સુનિલભાઈ દભાડિયા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીના વરદહસ્તે ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ટુર્નામેન્ટમાં ગામની 18 જેટલી ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો. ફાઇનલ મેચ તોરણવેરા પોળસ ફળિયાં અને આંબાવાડી ફળિયાંની ટીમો વચ્ચે રમાઈ, જેમાં તોરણવેરા પોળસ ફળિયાં ટીમ વિજેતા બની અને આંબાવાડી ફળિયાં ટીમ રનર-અપ રહી. આ આયોજન દરમ્યાન તોરણવેરા હનુમાન ફળિયાના યુવાનો દ્વારા મેનેજમેન્ટની સંપૂર્ણ જવાબદારી સંભાળી શિષ્ઠતા અને શ્રેષ્ઠ વ્યવસ્થાનું ઉદાહરણ પુરૂ પાડ્યું. સમગ્ર ટુર્નામેન્ટ ગ્રામજનોના સહકારથી શાંતિપૂર્ણ રીતે સફળતાપૂર્વક પૂર્ણ થયું. સંપૂર્ણ ગામવાસીઓ તરફથી આ આયોજનમાં સહભાગી બનેલા તમામ નામી અને અનામી લોકોનો સરપંચશ્રી દ્વારા  આભાર વ્યક્ત કરવામાં આવ્યો. View this post on Instagram A post shared by @khergam_news_updates

વિદાયની ભાવનાત્મક પળ: લોકોના દિલમાં વિશેષ સ્થાન ધરાવતાં અધિકારી

Image
વિદાયની ભાવનાત્મક પળ: લોકોના દિલમાં વિશેષ સ્થાન ધરાવતાં અધિકારી     તાલુકા પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ અને સરપંચશ્રીઓ દ્વારા સન્માન સરકારી અધિકારીઓના જીવનમાં સ્થાનાંતરણ (બદલી) એક સામાન્ય બાબત છે, પણ એ ક્ષણ કારમી અને ભાવુક બની જાય છે, ખાસ કરીને જ્યારે અધિકારી લોકપ્રિય હોય અને પોતાની કામગીરીથી અનોખી છાપ મૂકી હોય. વિદાય સમારંભના ઉદાહરણ રૂપે, ખેરગામના મામલતદાર દલપતભાઈ બ્રાહ્મણકચ્છ સાહેબના બદલીએ કાર્યસ્થળે એક ઉંડો ખાલીપો છોડી દીધો છે. જ્યારે તેઓના સન્માનમાં આયોજીત વિદાય સમારંભની વાત કરીએ, ત્યારે તે માત્ર એક કાર્યક્રમ નહોતો, પરંતુ એક ભાવનાઓ ભરેલો પ્રસંગ હતો. મામલતદાર તરીકે દલપતભાઈ સાહેબે ખેરગામ અને વાંસદા તાલુકામાં વહીવટી કામગરીમાં ઉન્નત માપદંડ સ્થાપિત કર્યા. તેઓએ દરેક નિર્ણયમાં સ્થાનિક લોકોની ભલાઈને મહત્વ આપ્યું અને સરકારી કર્મચારીઓને આદરપૂર્વક માર્ગદર્શન આપ્યું. ચૂંટણી કાર્ય કે રાષ્ટ્રીય તહેવારનો કાર્યક્રમ હોય, દલપતભાઈ સાહેબ હંમેશા તે સફળતાની નવી ઊંચાઈઓએ પહોંચાડ્યા. વિદાય સમારંભમાં પ્રાંત અધિકારી ડીઆઈ પટેલ સાહેબના પ્રેરણાત્મક સંબોધનથી એક મહત્વપૂર્ણ જીવનમૂલ્ય મળ્યું: > "જીવનમાં ચાર...

ખેરગામ તાલુકાના તોરણવેરા ગામમાં પોષણ ઉત્સવનું આયોજન.

Image
 ખેરગામ તાલુકાના તોરણવેરા ગામમાં પોષણ ઉત્સવનું આયોજન ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે સંકલિત બાળ વિકાસ સેવા દ્વારા પોષણ ઉત્સવનું આયોજન તાજેતરમાં તોરણવેરાની દૂધ મંડળીના મકાનમાં કરવામાં આવ્યું હતું. આ ઉત્સવના ઉદ્ઘાટન સમયે સરપંચ સુનીલ ડભાડિયા, પીએચસીના મેડિકલ ઓફિસર ડો. પૂજાબેન પટેલ અને પ્રાથમિક શાળાના સંદીપભાઈ હાજર હતા. પોષણ ઉત્સવમાં 80 જેટલી આરોગ્યદાયી વાનગીઓનું નિર્દશન કરવામાં આવ્યું. તેમાં નાગલીના ઢોસા, સરગવાનાં મુઠીયા અને ટી.આર.એચ.થી બનાવાયેલી સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો. આ વાનગીઓ માટે 3 શ્રેષ્ઠ વાનગીઓને પ્રોત્સાહિત કરવામાં આવી અને તેમને પ્રમાણપત્ર આપવામાં આવ્યા. આ ઉત્સવને સફળ બનાવવામાં સેજાં સુપરવાઈઝર ગુણવંતીબેન તથા આંગણવાડી વર્કર બહેનોની મહેનત વિશેષ રૂપે નોંધપાત્ર રહી. તોરણ વેરાના ગામના બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ આયોજનને વધુ સફળ બનાવવામાં મદદ કરી. આ પોષણ ઉત્સવ એ એક મહત્વપૂર્ણ પ્રવૃતિ છે, જે સમાજના દરેક વર્ગમાં પોષણના મહત્વ અંગે જાગૃતિ લાવવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.

તોરણવેરા ગામે રક્તદાન કેમ્પનું સફળ આયોજન : ખેરગામ પીએસઆઈ શ્રી ગામીત સાહેબ દ્વારા હેલ્મેટ વિતરણ કરાયું.

Image
 તોરણવેરા ગામે રક્તદાન કેમ્પનું સફળ આયોજન : ખેરગામ પીએસઆઈ શ્રી ગામીત સાહેબ દ્વારા હેલ્મેટ વિતરણ કરાયું. તારીખ: 20 ડિસેમ્બર, 2024 સ્થળ: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, તોરણવેરા ગ્રામ પંચાયત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, તોરણવેરાના સંયુક્ત ઉપક્રમે રાજચંદ્ર હોસ્પિટલ, ધરમપુરના સહયોગ સાથે આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પનું ઉદ્ઘાટન ડૉ. પૂજા પટેલ અને ખેરગામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગામિત સાહેબ દ્વારા દીપ પ્રાગટ્ય સાથે થયું. ડૉ. પૂજા પટેલે પ્રથમ નાગરિક તરીકે રક્તદાન કરીને પ્રેરણાદાયક શરુઆત કરી. રક્તદાન કેમ્પની વિશેષતાઓ: પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકગણ અને ગામના યુવાનોનું મહત્ત્વનું યોગદાન. કેમ્પ દરમિયાન રક્તદાતાઓને પ્રોત્સાહનરૂપે પીએસઆઈ ગામિત સાહેબ દ્વારા હેલ્મેટ વિતરણ કરાયું. પંચાયતના સભ્ય ભાવેશભાઈ વાઢુ અને તોરણવેરાના સરપંચ સુનીલભાઈ સહિત ગામજનોનો ઊંડો સહકાર. આ કાર્યક્રમમાં ગામના નાગરિકોએ ઉમળકાભર્યા ઉત્સાહ સાથે ભાગ લીધો અને સેવાકાર્યને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. અંતમાં, તોરણવેરા ગામના સરપંચ શ્રી સુનીલભાઈએ તમામ રક્તદાતાઓ, પાથસહયોગીઓ, અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્...

વિદ્યાર્થિની સિદ્ધિ: પાણીખડક સંસ્કાર વિદ્યામંદિરની દીકરીનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન.

Image
  વિદ્યાર્થિની સિદ્ધિ: પાણીખડક સંસ્કાર વિદ્યામંદિરની દીકરીનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન. અભ્યાસમાં શ્રેષ્ઠતા મેળવવી અને સમાજમાં નમૂનાનાં પાયાનું કામ કરવું એ દરેક વિદ્યાર્થીનું સ્વપ્ન હોય છે. ખેરગામ તાલુકાના પાણીખડક સંસ્કાર વિદ્યામંદિરમાં અભ્યાસ કરતી મિશાલ શ્રેયાકુમારી મહેશભાઈએ એ સાબિત કર્યું કે મહેનત અને ખંતથી કોઈ પણ શ્રેષ્ઠ સ્થાન મેળવવું શક્ય છે. ભ્રષ્ટાચાર નિવારણ માટેની નિબંધ સ્પર્ધામાં રાજ્ય કક્ષાની સફળતા આદિવાસી વિસ્તારની વિદ્યાર્થીની શ્રેયાએ લાંચરૂશ્વતવિરોધી બ્યુરો, અમદાવાદ દ્વારા આયોજિત ભ્રષ્ટાચાર નિવારણ અંગેના કાર્યક્રમના ભાગરૂપે યોજાયેલી નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો. તેની પ્રતિભા અને શિસ્તના કારણે શ્રેયાએ રાજ્ય કક્ષાએ દ્વિતીય સ્થાન મેળવ્યું અને શાળાનું ગૌરવ વધાર્યું. મુખ્યમંત્રીના હસ્તે સન્માન અને પરિવારનો ગૌરવમય ક્ષણ નવમી ડિસેમ્બર 2024ના આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસની ઉજવણીના ઉપક્રમે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગર ખાતે શ્રેયાનું સન્માન કરવામાં આવ્યું. આ અવસરે શ્રેયા અને તેની સાથે રહેલા માર્ગદર્શક શિક્ષક ભરતભાઈ એમ. પટેલનો ઉત્સાહ વધાર્યો હતો. પરિવા...