Posts

તોરણવેરાના લોકસાહિત્યકાર ડાહ્યાભાઈ વાઢુને ‘ગુજરાત આદિ ગૌરવ સન્માન-2026’ એનાયત

Image
  તોરણવેરાના લોકસાહિત્યકાર ડાહ્યાભાઈ વાઢુને ‘ગુજરાત આદિ ગૌરવ સન્માન-2026’ એનાયત ખેરગામ, નવસારી: નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના તોરણવેરા ગામના વતની અને કુકણા આદિજાતિના જાણીતા લોકસાહિત્યકાર ડાહ્યાભાઈ મનુભાઈ વાઢુ ને ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી, ગાંધીનગર દ્વારા પ્રતિષ્ઠિત **‘ગુજરાત આદિ ગૌરવ સન્માન-2026’**થી સન્માનિત કરવામાં આવ્યા છે. તાજેતરમાં યોજાયેલા જનજાતિય ગરિમા ઉત્સવ-2026 અંતર્ગત આયોજિત ભવ્ય સમારોહમાં તેમને આદિવાસી સમાજના લોકસાહિત્ય, લોકકથાઓ, સાંસ્કૃતિક પરંપરાઓ અને વારસાના સંરક્ષણ તથા સંવર્ધન ક્ષેત્રે આપેલા વિશિષ્ટ અને અમૂલ્ય યોગદાન બદલ આ સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું. ડાહ્યાભાઈ વાઢુ વર્ષોથી કુકણા આદિજાતિના ઇતિહાસ, લોકજીવન, લોકવાર્તાઓ અને સાંસ્કૃતિક પરંપરાઓના સંકલન અને દસ્તાવેજીકરણનું કાર્ય કરી રહ્યા છે. તેમના દ્વારા રચાયેલા ‘કુકણા કથાઓ’ , ‘કુકણા રામકથા’ અને ‘કનસરીની કથાઓ’ જેવા મહત્વપૂર્ણ ગ્રંથોએ કુકણા સમાજની સમૃદ્ધ જ્ઞાનપરંપરા અને લોકસંસ્કૃતિને નવી પેઢી સુધી પહોંચાડવામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. તેમના સાહિત્યિક અને સંશોધનાત્મક કાર્યને કારણે કુકણા સમાજની લોકપરં...

ખેરગામ તાલુકા પંચાયતમાં ફરી ભગવો લહેરાયો, 16માંથી 11 બેઠક ભાજપના ફાળે.

Image
  ખેરગામ તાલુકા પંચાયતમાં ફરી ભગવો લહેરાયો, 16માંથી 11 બેઠક ભાજપના ફાળે. કોંગ્રેસે 5 બેઠક જીતી મજબૂત હાજરી નોંધાવી ગત ચૂંટણીની જેમ આ વર્ષે પણ 11-5નું જ સમીકરણ યથાવત નાંધઈ બેઠક પર પૂર્વેશ ખાંડાવાલાની સૌથી મોટી જીત (2005 મત) પાણીખડકમાં હંસા દેસાઈ 1870 મતથી વિજેતા વાડ-2માં ચેતન પટેલ 1225 મતથી જીત્યા બહેજ બેઠક પર કોંગ્રેસની રિમ્પલ પટેલ 1696 મતથી વિજયી પાટી બેઠક ભાજપ પાસેથી કોંગ્રેસે કબજે કરી આછવણી-2 બેઠક કોંગ્રેસ પાસેથી ભાજપે જીતી જિલ્લા પંચાયતની બંને બેઠક પર ભાજપનો કબજો મોહિની પટેલ 2524 મતની લીડ સાથે વિજેતા હેતલ આહીર 1881 મતથી વિજયી ખેરગામ, તા. 29 એપ્રિલ 2026: ખેરગામ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ પ્રભુત્વ સાબિત કરતાં કુલ 16 બેઠકમાંથી 11 બેઠક પર વિજય મેળવી ભગવો લહેરાવ્યો છે. કોંગ્રેસે 5 બેઠક જીતી મક્કમ પડકાર આપ્યો છે. ગત ચૂંટણીની જેમ આ વર્ષે પણ બેઠકોનો આંકડો યથાવત રહ્યો છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં રાજકીય સમીકરણોમાં ફેરફાર જોવા મળ્યો છે. ભાજપ માટે નાંધઈ બેઠક સૌથી મોટી જીત બની રહી, જ્યાં પૂર્વેશ ખાંડાવાલાએ 2005 મત મેળવી શાનદાર વિજય નોંધાવ્યો હતો. પાણીખડક બેઠક પ...

ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે પોષણ ઉત્સવ અંતર્ગત વાનગી સ્પર્ધા યોજાઈ

Image
 ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે પોષણ ઉત્સવ અંતર્ગત વાનગી સ્પર્ધા યોજાઈ ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની આંગણવાડી કેન્દ્ર ખાતે સંકલિત બાળ વિકાસ સેવા યોજના હેઠળ તોરણવેરા સેજાની ૨૬ આંગણવાડી કેન્દ્રો દ્વારા પોષણ ઉત્સવ અને પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન સોમવારે ગામના સરપંચ સુનીલભાઈ દભાડીયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તોરણવેરાના મેડિકલ ઓફિસર ડો. ચિરાગ ગાવિતે આરોગ્ય અને પોષણ અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે આજકાલ બાળકોમાં પેકેટ ફૂડ અને ઠંડા પીણાંનું વધતું સેવન ચિંતાજનક છે, જેના કારણે સુગર જેવી આરોગ્ય સમસ્યાઓ વધી રહી છે. તેમણે વાલીઓને બાળકોને આ પ્રકારની ખોરાકની આદતોથી દૂર રાખવા અનુરોધ કર્યો હતો. સરપંચ સુનીલભાઈ દભાડીયાએ જણાવ્યું કે સરકાર દ્વારા બાળકોના આરોગ્ય અને શિક્ષણ માટે આવા મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાતા રહે છે અને તેઓ હંમેશા તેમાં સહભાગી રહે છે. કાર્યક્રમ દરમિયાન બાળશક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાશક્તિ જેવા ટેક હોમ રેશન તેમજ નાગલી અને જુવાર જેવા મીલેટ્સમાંથી બનેલી લગભગ ૪૦ જેટલી પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બિસ્કીટ, શીરો, મેથીના...

તોરણવેરામાં ઈ-નિર્માણ કાર્ડ અને આરોગ્ય તપાસ કેમ્પમાં ૬૮૬ લાભાર્થીઓએ સેવાઓ મેળવી.

Image
  તોરણવેરામાં ઈ-નિર્માણ કાર્ડ અને આરોગ્ય તપાસ કેમ્પમાં ૬૮૬ લાભાર્થીઓએ સેવાઓ મેળવી. તારીખ: 17 માર્ચ 2026  સ્થળ: તોરણવેરા ગ્રામ પંચાયત તોરણવેરા ગ્રામ પંચાયત ખાતે આજ રોજ ઈ-નિર્માણ કાર્ડ (લાલ ચોપડી) બનાવવા માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આજુબાજુના ગામોના નાગરિકોને ઉપસ્થિત રહી લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. કેમ્પ દરમિયાન કુલ ૬૮૬ જેટલા લાભાર્થીઓએ વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. આ સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) હેઠળ આયુષ્ય કાર્ડ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તેમજ સુગર અને બ્લડ પ્રેશર જેવી આરોગ્ય તપાસ પણ કરવામાં આવી હતી. આથી ગ્રામજનોને એકજ સ્થળે આરોગ્ય તથા શાસકીય સેવાઓ ઉપલબ્ધ બની હતી. આ પ્રસંગે ભાજપના તાલુકા પ્રમુખ શ્રી લિતેશભાઈ ગાંવિત, ગૌરી ગામના સરપંચ શ્રી પ્રકાશભાઈ પટેલ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. પૂજા પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પને સફળ બનાવવા માટે તોરણવેરા ગામના સરપંચ શ્રી સુનિલભાઈ ડી. દાભડીયા, ગ્રામ પંચાયતના સભ્યો તથા ગામના આગેવાનો ભાવેશભાઈ વાઢુએ મહેનતપૂર્વક કામગીરી કરી હતી. ગ્રામજનો...

શ્રી સી.આર. પાટીલજીના જન્મદિવસ નિમિત્તે વાડ બાપા સીતારામ મઢુલી ખાતે સરકારી યોજનાઓનો વિશેષ લાભ કેમ્પ યોજાયો.

Image
  શ્રી સી.આર. પાટીલજીના જન્મદિવસ નિમિત્તે વાડ બાપા સીતારામ મઢુલી ખાતે સરકારી યોજનાઓનો વિશેષ લાભ કેમ્પ માનનીય કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી, ભારત સરકાર તથા લોકલાડીલા સાંસદ શ્રી સી.આર. પાટીલજીના જન્મદિવસ નિમિત્તે વાડ બાપા સીતારામ મઢુલી ખાતે ઈ-શ્રમ કાર્ડ, આધાર કાર્ડ અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન ઈ-નિર્માણ કાર્ડ (લાલ ચોપડી) અંગેની વિગતવાર માહિતી નવસારી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરાભાઈ શાહ, નવસારી જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી શાંતિલાલભાઈ (ગણદેવી) તથા ચુનીલાલ સાહેબ દ્વારા આપવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા અને સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન મેળવી વિવિધ સેવાઓનો લાભ લીધો. આ પ્રસંગે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરાભાઈ શાહ, જિલ્લા મહામંત્રીશ્રી જીગરભાઈ દેસાઈ, મહામંત્રીશ્રી શાંતિલાલભાઈ, તાલુકા પ્રમુખશ્રી લિતેશભાઈ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાજેશભાઈ, મહામંત્રીશ્રી વિજયભાઈ, ચેતનભાઈ, માજી તાલુકા ભાજપ પ્રમુખશ્રી ચુનીભાઈ, ઉપપ્રમુખશ્રી શૈલેષભાઈ, બ્રહ્મ સમાજ પ્રમુખશ્રી અંકુરભાઈ શુક્લ,...