Posts

Showing posts from January, 2026

આછવણી આશ્રમશાળા ખાતે ખેરગામ તાલુકાની ૭૭મા ગણતંત્ર દિવસની ઉજવણી.

Image
  આછવણી આશ્રમશાળા ખાતે ખેરગામ તાલુકાની ૭૭મા ગણતંત્ર દિવસની ઉજવણી. આછવણી આશ્રમશાળા ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો આજરોજ ૭૭મા ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે ખેરગામ તાલુકાની તાલુકા કક્ષાની ઉજવણી આછવણી આશ્રમશાળા ખાતે ગૌરવભેર યોજાઈ હતી. તાલુકા વહીવટી તંત્ર વતી પ્રાંત અધિકારીશ્રી બી.એલ. માહલા સાહેબ દ્વારા તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાજેશભાઈ, મામલતદારશ્રી ભાવેશભાઈ, તાલુકા હેલ્થ ઓફિસર પ્રજ્ઞેશભાઈ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મનીષભાઈ, તાલુકા પંચાયત તેમજ તાલુકાની વિવિધ કચેરીઓના અધિકારી-કર્મચારીઓ, ગામના સરપંચશ્રીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આછવણી આશ્રમશાળા, આછવણી બંધાડ ફળિયા પ્રાથમિક શાળા તથા ખેરગામ કોલેજના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક નૃત્યો રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા. ઉત્કૃષ્ટ કામગીરી બદલ વહીવટી તંત્ર વતી વિવિધ વિભાગોના કર્મચારીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં તાલુકા પંચાયતના ખુશ્બુબેન પટેલ (સિનિયર ક્લાર્ક), શિક્ષણ વિભાગના હેતલબેન પટેલ (શિક્ષક), ...

તોરણવેરા વિલેજ કપ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ–2026નું ભવ્ય આયોજન

Image
તોરણવેરા વિલેજ કપ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ–2026નું ભવ્ય આયોજન તોરણવેરા ગામ ખાતે આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ વિલેજ કપ–2026 અંતર્ગત ગામની કુલ 16 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન તમામ ટીમોએ રોમાંચક મુકાબલાઓ સાથે ભાઈચારાની ભાવના અને ઉત્તમ ખેલદિલીનું પ્રદર્શન કર્યું હતું. ટુર્નામેન્ટમાં પ્રથમ સ્થાન પોળસ ફળિયાની ટીમે મેળવ્યું હતું, જ્યારે દ્વિતીય સ્થાન બરડ ફળિયાની ટીમે હાંસલ કર્યું હતું. આ સફળ આયોજનમાં હનુમાન ફળિયાના તમામ યુવાનો એ મેનેજમેન્ટની કમાન સંભાળી અખૂટ મહેનત અને સહકાર સાથે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ઉપરાંત, જય અંબે ડી.જે.ના મુકેશભાઈ પાડવી એ ડીજેના તાલે ઉત્સાહભરી કોમેન્ટરી કરીને તમામ ખેલાડીઓ તથા ગ્રામજનોને પ્રોત્સાહિત કર્યા હતા, જેના કારણે નામી-અનામી તમામ ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક સહકાર આપ્યો હતો. આ પ્રસંગે ગ્રામ પંચાયત તોરણવેરા વતી વિજેતા તથા ઉપવિજેતા બંને ટીમોને સરપંચ શ્રી સુનિલભાઈ દભાડીયાએ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને ટુર્નામેન્ટને સફળ બનાવવા બદલ તમામ ગ્રામજનો, આયોજકો તથા સહયોગીઓને તહેદિલથી આભાર વ્યક્ત કર્યો હતો.

તોરણવેરા પ્રાથમિક શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો.

Image
   તોરણવેરા પ્રાથમિક શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો. તારીખ  10/01/2026  ના રોજ  તોરણવેરા પ્રાથમિક શાળા  દ્વારા વિદ્યાર્થીઓ માટે  શૈક્ષણિક પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓને દેશની ગૌરવસભર ધરોહર  સ્ટેચ્યુ ઓફ યુનિટી  તથા પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર  પોઇચા ના સ્થળોની મુલાકાત કરાવવામાં આવી. પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાન અંગે માહિતી મેળવી. સાથે જ પોઇચાના પ્રાકૃતિક વાતાવરણમાં શિક્ષણ સાથે આનંદનો અનુભવ થયો. આ પ્રવાસથી વિદ્યાર્થીઓમાં જ્ઞાન, સંસ્કાર અને દેશપ્રેમની ભાવના વિકસી.