Khergam : તોરણવેરા પ્રાથમિક શાળામાં બાળમેળો યોજાયો. તારીખ 27-07-2024નાં શનિવારે ખેરગામ તાલુકાની તોરણવેરા પ્રાથમિક શાળા ખાતે આચાર્યશ્રી અનિલભાઈ પટેલનાં માર્ગદર્શન હેઠળ બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ પાંચ સ્ટોલ બનાવવામાં આવ્યા હતા. દરેક સ્ટોલમાં બાળકોને બેસાડી બાળમેળાની પ્રવૃત્તિઓ જેવી કે ચિત્રકામ, ચિટક કામ, કાગળ કામ, માટીકામ, છાપકામ કોલાજ વર્ક, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, ચિત્રોમાં રંગપૂરણી કરવી, બાળગીતો, બાળ અભિનય ગીત, વેશભૂષા, બાળવાર્તા, પશુ પક્ષીના મોહરા, બનાવવાની પ્રવૃત્તિઓ વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવી જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો શાળાના બાળકોએ ગુરુજનોના માર્ગદર્શન હેઠળ બાળમેળાની પ્રવૃત્તિઓની મજા માણી અને રમત સાથે નવું જ્ઞાન મેળવ્યું હતું. શાળાનાં ઉપશિક્ષકશ્રી સંદીપભાઈ પટેલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આજ રોજ પ્રાથમિક શાળા તોરણવેરા અંતગર્ત બાળમેળા નુ આયોજન..્્્્્્ Posted by Sunil Dabhadiya on Saturday, July 27, 2024
તોરણવેરા પ્રાથમિક શાળામાં યોજાયેલ વાલી સંમેલન: એક શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રેરણા તોરણવેરા પ્રાથમિક શાળાએ ૨૬મી જાન્યુઆરીની રાત્રે વાલી સંમેલનનું આયોજન કરીને શિક્ષણ અને સાંસ્કૃતિક એકતાનું પ્રેરણાદાયી ઉદાહરણ સ્થાપિત કર્યું. આ સંમેલનના ઉદ્ઘાટનનો શ્રેય ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ અને ડાંગ જિલ્લાના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલને જાય છે, જેમણે તેમની પ્રેરક ભાષણોથી શ્રોતાઓને પ્રભાવિત કર્યા. સંમેલનના મહત્વપૂર્ણ મોરચા: નરેશભાઈ પટેલે પ્રેરક પ્રવચન દ્વારા શ્રોતાઓને પ્રભાવિત કર્યા હતા. નરેશભાઇ પટેલે ખાનગી શાળાઓ અને સરકારી શાળાઓ વચ્ચેના તફાવતને સ્પષ્ટ કરીને સમગ્ર શિક્ષણ પદ્ધતિની સમજણ આપી. તેમણે તેમના વિદ્યાર્થી જીવનના અનુભવો શેર કર્યા અને કન્યા કેળવણી પર ખાસ ભાર મુક્યો. સાથે જ તેમણે બાળકોને શૈક્ષણિક શિક્ષણ સાથે સંસ્કાર અપાવવા પર મહત્વ આપ્યું અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કન્યા કેળવણીના પ્રયાસો ને શ્રોતાઓ સમક્ષ રજૂ કર્યા. પછી ડાંગ જિલ્લાના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે , સ્થાનિક બોલીમાં સુંદર પ્રવચન આપીને શ્રોતાઓનું દિલ જીતી લીધું. ત...
Comments
Post a Comment