તોરણવેરા પ્રાથમિક શાળામાં યોજાયેલ વાલી સંમેલન: એક શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રેરણા તોરણવેરા પ્રાથમિક શાળાએ ૨૬મી જાન્યુઆરીની રાત્રે વાલી સંમેલનનું આયોજન કરીને શિક્ષણ અને સાંસ્કૃતિક એકતાનું પ્રેરણાદાયી ઉદાહરણ સ્થાપિત કર્યું. આ સંમેલનના ઉદ્ઘાટનનો શ્રેય ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ અને ડાંગ જિલ્લાના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલને જાય છે, જેમણે તેમની પ્રેરક ભાષણોથી શ્રોતાઓને પ્રભાવિત કર્યા. સંમેલનના મહત્વપૂર્ણ મોરચા: નરેશભાઈ પટેલે પ્રેરક પ્રવચન દ્વારા શ્રોતાઓને પ્રભાવિત કર્યા હતા. નરેશભાઇ પટેલે ખાનગી શાળાઓ અને સરકારી શાળાઓ વચ્ચેના તફાવતને સ્પષ્ટ કરીને સમગ્ર શિક્ષણ પદ્ધતિની સમજણ આપી. તેમણે તેમના વિદ્યાર્થી જીવનના અનુભવો શેર કર્યા અને કન્યા કેળવણી પર ખાસ ભાર મુક્યો. સાથે જ તેમણે બાળકોને શૈક્ષણિક શિક્ષણ સાથે સંસ્કાર અપાવવા પર મહત્વ આપ્યું અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કન્યા કેળવણીના પ્રયાસો ને શ્રોતાઓ સમક્ષ રજૂ કર્યા. પછી ડાંગ જિલ્લાના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે , સ્થાનિક બોલીમાં સુંદર પ્રવચન આપીને શ્રોતાઓનું દિલ જીતી લીધું. ત...
તોરણવેરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તથા વલસાડ જિલ્લાનું વિભાજન કરી નવા બનાવવામાં આવેલા નવસારી જિલ્લામાં આવેલ ખેરગામ તાલુકામાં આવેલું એક ગામ છે.જે ખેરગામ તાલુકાની પૂર્વ દિશામાં આવેલું છે. ખેરગામ મુખ્ય મથકથી તે 14 કિમી અંતર ધરાવે છે.તોરણવેરા ગામમાં પ્રાથમિક શાળા, દૂધની ડેરી, આંગણવાડી, પંચાયતઘર, દવાખાનુ જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ડાંગર, શેરડી, કેરી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે.
Comments
Post a Comment