Posts

તોરણવેરાના સરપંચશ્રી સુનિલભાઈ દભાડીયાની social media Facebook DGVCL અને સ્વચ્છતા જાગૃતિ પોસ્ટ

Image

મીડિયા ન્યૂઝ

Image

તોરણવેરા ગ્રામ પંચાયતમાં DGVCL દ્વારા વીજ બચત અને સોલાર પેનલ જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

Image
 તોરણવેરા ગ્રામ પંચાયતમાં DGVCL દ્વારા વીજ બચત અને સોલાર પેનલ જાગૃતિ કાર્યક્રમ યોજાયો. તારીખ  : 16/12/2025ના દિને તોરણવેરા ગ્રામ પંચાયતમાં DGVCL (દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ)ના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી ગાંવિત સાહેબ દ્વારા વીજળી બચત, સોલાર પેનલ અને સલામતી અંગેની જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં માર્ગદર્શિકા વિતરણ કરવામાં આવ્યું અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી. આવા જાગૃતિ કાર્યક્રમો ખૂબ જ મહત્વના છે, કારણ કે સોલાર એનર્જી અપનાવવાથી વીજ બિલમાં બચત થાય છે અને પર્યાવરણનું પણ રક્ષણ થાય છે. ગુજરાતમાં PM સૂર્ય ઘર યોજના હેઠળ રૂફટોપ સોલાર માટે સબસિડી પણ મળે છે. View this post on Instagram

તોરણવેરામાં સ્વચ્છતા અભિયાન: સ્વચ્છ ગામ તરફ એક સશક્ત પગલું.

Image
  તોરણવેરામાં સ્વચ્છતા અભિયાન: સ્વચ્છ ગામ તરફ એક સશક્ત પગલું  તોરણવેરા, 16/12/2025  તોરણવેરા ગ્રામ પંચાયતમાં સરપંચશ્રી સુનિલભાઈ દભાડીયાની આગેવાની હેઠળ યોજાયેલ સ્વચ્છતા અભિયાન પર્યાવરણ અને જાહેર આરોગ્ય માટે એક મહત્વપૂર્ણ પહેલ સાબિત થયું. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગામજનોને સ્વચ્છતા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી અને પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા માટે કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું. ખાસ કરીને ગામની મહિલાઓએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો. મહિલાઓની સક્રિય ભાગીદારીથી સ્વચ્છતા અંગેની જાગૃતિ વધુ મજબૂત બની. આવા અભિયાનો દ્વારા સ્વચ્છ ગામ અને સ્વસ્થ સમાજના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ગ્રામ પંચાયત સતત આગળ વધી રહી છે. View this post on Instagram

ખેરગામ તાલુકાનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તોરણવેરા (સબ સેન્ટર) નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

Image
 તોરણવેરા ગામમાં પ્રાથમિક આરોગ્ય સબ સેન્ટરનું ખાતમુહૂર્ત કરાયું. ખેરગામ, તારીખ:૧૪/૧૨/૨૦૨૫ : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (સબ સેન્ટર) નું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ શુભ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષ શ્રીમતી સુમિત્રાબેન ગરાસિયા, ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, શ્રી લિતેશભાઈ ગાંવિત, ગામના સરપંચ શ્રી સુનિલભાઈ દભાડીયા, શ્રી ચેતનભાઈ પટેલ, શ્રી સુનિલભાઈ વાઢુ, મહિલા મોર્ચાના પ્રમુખ શ્રીમતી જીજ્ઞાબેન પટેલ સહિત ગામના આગેવાનો અને આરોગ્ય વિભાગના અધિકારી શ્રી પ્રજ્ઞેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. નવા સબ સેન્ટરથી ગ્રામ્ય વિસ્તારના લોકોને સરળ, સુલભ અને સમયસર પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બનશે, જેના કારણે ગ્રામિણ આરોગ્ય વ્યવસ્થાને વધુ મજબૂતી મળશે. આ મહત્વપૂર્ણ સુવિધાની શરૂઆતથી ગામ લોકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

તોરણવેરા પ્રાથમિક શાળા ખાતે CRC કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન ગામના સરપંચશ્રી સુનિલભાઈના હસ્તે ખૂલ્લું મુકાયું

Image
  તારીખ ૧૫/૧૧/૨૦૨૫નાં દિને તોરણવેરા પ્રાથમિક શાળા ખાતે CRC કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન ગામના સરપંચશ્રી સુનિલભાઈના હસ્તે ખૂલ્લું મુકાયું.