તોરણવેરા આંગણવાડી કેન્દ્ર ખાતે સેજાનો પોષણ ઉત્સવ યોજાયો.
તોરણવેરા આંગણવાડી કેન્દ્ર ખાતે સેજાનો પોષણ ઉત્સવ યોજાયો. ખેરગામ, તા. ૨૫/૦૮/૨૦૨૬: ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની નિશાળ ફળિયા આંગણવાડી કેન્દ્ર ખાતે મંગળવારના રોજ સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત તોરણવેરા સેજાના આંગણવાડી કેન્દ્રોનો પોષણ ઉત્સવ કાર્યક્રમ ડૉ. ચિરાગ ગાવિતના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. પોષણ ઉત્સવમાં જાડાધાન્ય એટલે કે મિલેટ્સ તેમજ બાળકો, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓને આપવામાં આવતી THR સામગ્રીમાંથી તૈયાર કરવામાં આવેલી ૫૦થી વધુ પૌષ્ટિક વાનગીઓનું સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રાથમિક શાળા તોરણવેરાના પ્રિન્સિપાલ શ્રી હેમાંગભાઈ ટંડેલ, તાલુકા પંચાયત સભ્ય શિલ્પાબેન વાઢુ અને સેજા સુપરવાઈઝર ગુણવંતીબેન હળપતિ સહિત ગામની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડૉ. ચિરાગ ગાવિતે પોષણ અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, યોગ્ય પોષણ એટલે પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ સહિતના જરૂરી પોષક તત્વો યોગ્ય પ્રમાણમાં મળી રહે તેવો ખોરાક. સરકાર દ્વારા આપવામાં આવતી બાળશક્તિ અને માતૃશક્તિની THR સામગ્રીમાં પણ આ પોષક તત્વોને ધ્યાનમાં રાખવામાં આવે છે. બાળકો તેમજ સગર્ભા...